Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    વચ્ચે પડનાર અન્ય ત્રણ વ્યક્તિને પણ માર પડ્યોઃ
જામનગર તા. ૪: જામનગરની કૌશલનગર ચોકડી પાસે નાસ્તાની રેંકડી રાખતા એક યુવાન પર શનિવારની રાત્રે ત્રણ શખ્સે હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર આ યુવાનના પિતા સહિતના ચાર વ્યક્તિને ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હતો અને પતાવી દેવાની ધમકી અપાઈ હતી.
જામનગરની કૌશલનગર-લાલવાડી ચોકડી નજીક વસવાટ કરતા અને આ ચોકડી પાસે નાસ્તાની રેંકડી રાખી વેપાર કરતા રાજેશ હેમતભાઈ પરમાર નામના સતવારા યુવાન શનિવારની રાત્રે સાડા નવેક વાગ્યે રેંકડી બંધ કરીને ઘર તરફ જવા માટે નીકળ્યા હતા.
આ વેળાએ ગુલાબનગર નજીકના રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ આવેલા નંદકિશોર એપાર્ટમેન્ટમાં રહેતો ગિરીરાજસિંહ રઘુભા જાડેજા ઉર્ફે ગીરી ડોન નામનો શખ્સ આવ્યો હતો. તેણે નાસ્તો આપવાનું કહેતા અને રાજેશભાઈએ માલ ખલાસ થઈ ગયો છે તેમ કહેતા ગીરી ડોને ગાળો ભાંડી હતી અને તેની સાથે રહેલા અન્ય બે શખ્સે પણ મોટરમાંથી ઉતરી ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. આ વેળાએ ગીરી ડોને રેંકડીમાંથી હવા ભરવાનો પંપ કાઢી રાજેશભાઈના કપાળ પર ફટકાર્યાે હતો.
આ વેળાએ દોડી આવેલા રાજેશભાઈના પિતા હેમતભાઈ તેમજ દીપક તેમજ નયનાબેન વચ્ચે પડતા તેઓને પણ ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હતો અને પતાવી દેવાની ધમકી અપાઈ હતી. સિટી એ ડિવિઝનમાં રાજેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય હુમલાખોર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial