Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી ધનકુંવરબેન કાનજીભાઈ લાંબા (ગઢવી), તે વિજયભાઈ, અનિલભાઈ, નિમુબેનના માતાનું તા. ૨૩-૭-૨૫ ના અવસાન થયું છે.
જામનગરઃ નાગોરી વણિક ગં.સ્વ. લીલાવંતીબેન ગુલાબરાય મણિયાર (ઉ.વ.૯૧), તે મીનાક્ષીબેન દિલીપકુમાર રાવલ, જયંતભાઈ અને પ્રદ્યુમન (પી.જી.)ના માતા તથા જલ્પેશ, વંદિતના દાદીનું તા. ૨૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૪ ને ગુરૂવારે સાંજે ૫ઃ૩૦ થી ૬ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે હેમશંકર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલ છે. (લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી)
જામનગર નાગોરી વણિક જ્ઞાતિના અશ્વિનકુમાર રમણીકલાલ જવેરી (બેંક ઓફ બરોડાવાળા) (ઉ.વ.૭૨) તે ઈલાબેનના પતિ, અમરીશ, દિવ્યા, માનસી, રીમ્પલના પિતા, સ્વ. સનતભાઈ, કીર્તિભાઈ, સ્વ. ચંદ્રીકાબેન, દિપીકાબેનના ભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, આશિષભાઈ જવેરીના બનેવી તા. ૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતની અંતિમયાત્રા તા.૨૫ શુક્રવારે સવારે ૯ઃ૩૦ કલાકે તેમના નિવાસસ્થાન મહાવીર-સી સોસાયટી, બ્લોક નં.બી-૧૧૫, માહી ડેરીની સામે ,શરૂસેક્શન રોડ,જામનગર થી નીકળશે, તેમની પ્રાર્થનાસભા તા. ૨૫ને શુક્રવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન કુંવરબેન ધર્મશાળા, પવનચક્કી પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ દિનેશભાઈ ચુનીલાલ બદીયાણી (ઉ.વ.૬૪) (વ્યવસ્થાપક વિથ હેડ એકાઉન્ટન્ટ, બેટ દ્વારકા મંદિર), તે અનસુયાબેન મહેશભાઈ કોટેચા, કનુભાઈ, કિશોરભાઈના મોટાભાઈ, યશ, હિરલ, મોહિત, ધૃતિ, અંશના અદા તથા વલ્લભદાસ જી.બારાઈના જમાઈનું અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૪ને ગુરૂવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ ભોજનાલય મંદિરની સામે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
ખંભાળીયાઃ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના વિમલ કિશોરભાઈ જાની (ઉ.વ.૩૯) તે સ્વ. મુકેશભાઈ જાનીના નાનાભાઈ, ડો. પાવન જાનીના કાકાનું તા. ૨૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન તેમના નિવાસસ્થાન રામનાથ સોસાયટીમાં રાખેલ છે.
જામનગરઃ રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. દિનેશભાઈ શિવશંકર લવાના પત્ની ગં.સ્વ. નીલાબેન, તે સ્વ. શિવશંકર પોપટલાલ લવા, સ્વ. નિર્મળાબેન શિવશંકર લવા ના પુત્રવધૂ, બિપીનભાઈ, અનિલભાઈ, જીતેન્દ્રભાઈ, રમિલાબેન રાવલના ભાભી, નીતાબેન, ઉષાબેન, મીનાબેનના જેઠાણી, નૈમિશ, યશના માતા, પ્રણવ, પાર્થના ભાભુનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૫ને શુક્રવારે સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન રાજ્ય પુરોહિત બ્રાહ્મણ સમાજની વાડી, રાજગોર ફળી શેરી નં.૧, રણજીત રોડ, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ બેટ દ્વારકા મંદિરના વ્યવસ્થાપક અને હેડ એકાઉન્ટન્ટ તથા સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા અને ટ્રસ્ટોમાં સેવા આપતા દિનેશભાઈ ચુનીલાલ બદીયાણી (ઉ.વ.૬૪) તે અનસુયાબેન મહેશભાઈ કોટેચા, કનુભાઈ, કિશોરભાઈના ભાઈનું અવસાન થયું છે.
જામનગરઃ સ્વ. તુલસીદાસ માધવજીભાઈ મેતાના પુત્રવધૂ શાંતાબેન વસંતલાલ મેતા (ઉ.વ.૮૬) તે સ્વ. બુધ્ધિલાલ રણછોડદાસ મેતાના પુત્રી, ભરતભાઈ, મનીષભાઈ (મેતા વસંતલાલ તુલસીદાસવાળા), હર્ષિદાબેન નરેશકુમાર સંઘવી, પ્રીતિબેન મનોજકુમાર સોલાણી, ભાવનાબેન મયુરકુમાર મેતાના માતા, જયશ્રીબેન, અલ્પાબેન, નરેશકુમાર, મનોજકુમાર, મયુરકુમારના સાસુ તથા પ્રિયા, જિનલ, વામા, પ્રાંજલના દાદી અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૪ને ગુરૂવારના સવારે ૯ કલાકે જ્યોતિ વિનોદ ઉપાશ્રય, જી.પી.ઓ. સામે જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ (મૂળ હડમતીયા જંકશન) મચ્છુ કઠિયા સુથાર જ્ઞાતિના ગોવિંદભાઈ છગનલાલ પીઠડીયા (નિવૃત્ત મામલતદાર) (ઉ.વ.૭૪) તે અશ્વિનભાઈ, હિરેનભાઈ, ચિંતનભાઈના પિતા, દિયા, ધાની, આર્યન, જેનીના દાદા તથા સ્વ. હેમરાજભાઈ ગીરધરભાઈ પરમાર (જોડીયાવાળા)ના જમાઈનું તા. ૨૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું અને પિયરપક્ષની સાદડી તા. ૨૫ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળઃભેંસદળ) ભૂપતભાઈ ગોપાલભાઈ રામપરીયા (ઉ.વ.૫૮) તે ભારતીબેનના પતિ, સ્મિતેશ, ભક્તિના પિતા, ભીખુભાઈ, મહેશભાઈના ભાઈનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૧ને સોમવાર સાંજે ૫ થી ૬ દરમ્યાન ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની વાડી, કડીયાવાડ (દુવારો), જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળઃજામકલ્યાણપુર) પ્રેમજીભાઈ મનજીભાઈ ગોકાણીના પત્ની જ્યોત્સનાબેનનું અવસાન થયું છે. તે નિલેશભાઈ, અનિલભાઈ, ભરતભાઈ, કલ્પેશભાઈ, દક્ષાબેન ભાવિનકુમાર લાખાણીના માતા, વિઠ્ઠલભાઈ, મોહનભાઈ, ખીમજીભાઈ, ભગવાનજીભાઈ બથિયાના બેન થાય. સદ્ગતનું બેસણું તથા મોસાળપક્ષની સાદડી તા. ૨૧, સોમવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
ભાટીયાઃ શાંતિલાલ દુર્લભજી રાજ્યગુરૂ (ઉ.વ.૬૫) (ગાગાવાળા શ્રી મોમાઈ વાસણ ભંડારવાળા) તે રમણીકભાઈના નાનાભાઈનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૧, સોમવારે સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન દુધેશ્વર મહાદેવ મંદિરે ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.