Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં પિતૃ શાંતિ માટે સામૂહિક પિતૃ તર્પણ

ચૈત્ર માસની અમાસ નિમિત્તે નિઃશુલ્ક કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: શ્રી ગાયત્રી શક્તિપીઠ, જામનગરમાં પ્રતિવર્ષ ચૈત્રમાસ અને ભાદરવા માસની અમાસના દિવસે પિતૃ શાંતિ માટે સામૂહિક પિતૃ તર્પણનો નિઃશુલ્ક કાર્યક્રમ રાખવામાં આવે છે. તદ્અનુસાર ચાલુ વર્ષે ચૈત્ર માસની અમાસ નિમિત્તે શુક્રવાર તા. ૧૭-૪-ર૦ર૬ ના સામૂહિક પિતૃ તર્પણ વિધીનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આથી ઈચ્છુક વ્યક્તિઓને શ્રી ગાયત્રી શક્તિપીઠ કાર્યાલયમાં મોડામાં મોડું તા. ૧પ-૪-ર૦ર૬, બુધવાર સુધીમાં પોતાના નામ નોંધાવી દેવા તથા સંસ્કાર કૂપન મેળવી સમય-પૂજાપાની જાણકારી મેળવી લેવા વિનંતી છે. પિતૃ તર્પણ વિધિમાં કુટુંબમાંથી એક જ વ્યક્તિ બેસી શકશે. જેની સર્વેએ નોંધ લેવા શ્રી ગાયત્રી શક્તિપીઠ, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh