Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પસાયાના શિક્ષક સહિત ૩૭ શિક્ષકોને મોરારિબાપુના હસ્તે ''ચિત્રકૂટ'' એવોર્ડ એનાયત

તલગાજરડામાં શિક્ષણ, સંસ્કાર, સેવાનો ત્રિવેણી સંગમ

                                                                                                                                                                                                      

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં મકરસંક્રાંતિના દિવસે શિક્ષણ, સંસ્કાર અને સેવા ભાવનાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. સુપ્રસિદ્ધ સંત કથાકાર મોરારિબાપુના હસ્તે રાજ્યના ૩૭ શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને 'ચિત્રકૂટ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં, જેમાં જામનગર જિલ્લાની પસાયા તાલુકા શાળાના શિક્ષક છગનભાઈ નિમાવતનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ અવસરે મહુવા તાલુકા શિક્ષણ સંમેલન યોજાયું હતું, જ્યાં મહુવા તાલુકાના ૧૩ નિવૃત્ત શિક્ષકો માટે વિદાય સમારોહ યોજાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh