Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં આવતીકાલે વિવિધ રોગ નિદન કેમ્પ અને નેત્રયજ્ઞ યોજાશેઃ નિષ્ણાત તબીબો સેવા આપશે

યોગેશ્વર ચેરી. ટ્રસ્ટના આર્થિક સહયોગથી ગિરીરાજ ચેરી. ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

રાવલ તા. ૧૭ઃ આવતીકાલે તા. ૧૮-૧-ર૦ર૭ ને રવિવારે રાવલમાં વિવિધ રોગ નિદાન કેમ્પ અને નેત્રયજ્ઞ યોજાનાર છે, જેનો બહોળા પ્રમાણમાં ભાગ લેવા આયોજકોએ અપીલ કરી છે.

આવતીકાલે રવિવાર ને તા. ૧૮-૧-ર૦ર૬ ના દિવસે રાવલની રણછોડદાસ ગોરધનદાસ હિંડોચા સરકારી હોસ્પિટલમાં યોગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ, હ.ડો. વ્રજલાલ એલ. રાજ્યગુરુ ટ્રસ્ટ-રાવલ દ્વારા સવારે ૧૦ થી સવારે ૧ વાગ્યા સુધી વિવિધ રોગ નિદાન કેમ્પ તથા નેત્રયજ્ઞ યોજાશે. આ કેમ્પમાં કાન, નાક, ગળાના દર્દોના સર્જન ડો. બિપીન એ. મહીડા, સ્કીન (ચામડી) ના રોગોના એમ.ડી. ડો. બેન્ની કાર્ડસો, દાંતના રોગના નિષ્ણાત ડો. સચિન મલ્લી, હૃદયરોગના નિષ્ણાત ડૉ. જિગ્નેશ લોઢારી, બાળરોગના નિષ્ણાત ડૉ. જય બદિયાણી તથા આંખના રોગોના નિષ્ણાત ડૉ. ગરેજા સેવાઓ આપશે. નેત્રયજ્ઞમાં આંખની તપાસ તથા જરૃરતમંદોને આંખનું ઓપરેશન કરી નેત્રમણિ બેસાડવાની વ્યવસ્થા કરાશે. આ માટે દર્દીઓના નામ સ્થળ પર જ નોંધવામાં આવશે, પરંતુ ચશ્માના નંબર કાઢી આપવાની વ્યવસ્થા થઈ શકશે નહીં.

આ કેમ્પને બહોળા પ્રમાણમાં લાભ લેવા રાવલ તથા આજુબાજુના વિસ્તારોના લોકોને આયોજકોએ અપીલ કરી છે. વધુ વિગત માટે વિનોદભાઈ ગોકાણી (મો. ૯૪ર૭ર પ૯૧૦૮) નો સંપર્ક સાધવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh