Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ઝાપટાઃ ૩પ મી.મી. સુધી વરસાદ

આજે મેઘરાજાએ લીધો વિરામઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગર જિલ્લાના કાલાવડ અને લાલપુરમાં ગઈકાલે અડધો ઈંચ જેટલો વરસાદ થયો હતો. શનિ-રવિ બે દિવસ મેઘરાજાએ જમાવટ કર્યા પછી ગઈકાલે મેઘરાજાનું જોર ઘટ્યું હતું.

ગઈકાલે સોમવારે કાલાવડમાં ૧૩ મી.મી. અને લાલપુરમાં ૧ર મી.મી. વરસાદ થયો હતો. આ ઉપરાંત જામનગરમાં ૪ મી.મી. અને જામજોધપુરમાં બે મી.મી.નું ઝાપટું વરસ્યું હતું. આ સિવાય કોઈ નોંધપાત્ર વરસાદ થયો નથી.

જામનગર જિલ્લાના અમુક ગામડામાં પણ ગઈકાલે હળવા ઝાપટા વરસ્યા હતાં, જેમાં નિકાવામાં ૧૬ મી.મી., ખરેડીમાં ર૬, મોટા વડાળામાં ૩પ, ભલસાણ બેરાજામાં ૧૦, નવાગામમાં ૧પ, પરડવામાં ૧પ મી.મી. વરસાદ થયો હતો.

આજે સવારે એક પણ તાલુકામાં વરસાદ થયો નથી, એટલે કે આજે મેઘરાજાએ વિરામ રાખ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh