Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માછીમારીની સિઝનના એક અઠવાડીયામાં
દ્વારકા તા. ૨૦: વરસાદી આગાહી વચ્ચે ફિશરીઝ વિભાગે ૨૩ ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ મૂકાયો હોવાથી સિઝન શરૂ થતા જ માછીમારોની ચિંતા વધી ગઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ અને હવામાન વિભાગ દ્વારા અપાયેલ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સતર્ક બન્યું છે. સુરક્ષા હેતુસર દરિયામાં માછીમારોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ફિશરીઝ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ આગામી ૨૩ ઓગસ્ટ સુધી નવા ટોકન નહી થાય ત્યાં સુધી કોઈ પણ માછીમાર દરિયામાં માછીમારી કરવા જઈ શકશે નહીં. હાલ દરિયામાં ગયેલી તમામ માછીમારી બોટોને તાત્કાલિક પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
વિશેષ કરીને ૧૫ ઓગસ્ટથી જ માછીમારોની સીઝન શરૂ થઈ છે અને માત્ર એક સપ્તાહ બાદ જ વરસાદી માહોલ સર્જાતા માછીમારોમાં ભારે ચિંતા વ્યાપી છે. નવા સીઝનની શરૂઆતમાં જ આ પ્રકારના પ્રતિબંધથી રોજીરોટી પર અસર થવાની ભીતિ પણ ઊભી થઈ છે. તંત્રએ માછીમારોને સલામતી જાળવવા તથા નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial