Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-બેટ દ્વારકામાં જગતમંદિરમાં આધુનિક સુરક્ષા સ્કેનીંગ મશીનો મૂકવા કરાઈ રજૂઆત

સાંંસદ પૂનમબેન માડમે પણ કર્યો પત્રવ્યવહાર

                                                                                                                                                                                                      

   દ્વારકા તા. ૧૬: દ્વારકા-બેટ દ્વારકાના જગતમંદિરમાં યાત્રિકોની સુરક્ષા માટે આધુનિક સ્કેન મશીનો મૂકવા માંગ ઊઠી છે. દ્વારકા તેમજ બેટ દ્વારકાધીશજીના જગતમંદિરે દેશના તિર્થસ્થળો ગણનાપ્રાપ્ત હોય, દર વર્ષે લાખો ભાવિકો બંને તિર્થસ્થાનોમાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હોય છે. થોડા સમય પૂર્વે જ કાશ્મીર અને દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના પછી આંતરરાષ્ટ્રીય જળસીમાથી નજીક અને દેશના સરહદી જિલ્લા તરીકે અતિ સંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ તિર્થસ્થાનોમાં યાત્રિકોની સલામતી જળવાય એ હેતુ દ્વારકા અને બેટ દ્વારકાધીશ મંદિરમાં આધુનિક સ્કેનર મશીનો મૂકવા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી અનિલભાઈ વિઠ્ઠલાણી દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લાના બંને તિર્થસ્થાનો પર યાત્રિકોની સલામતી માટે અનિલભાઈ વિઠ્ઠલાણી દ્વારા કરાયેલી રજૂઆત અનુસંધાને જામનગર સંસદીય ક્ષેત્રના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડા સાથે પત્રવ્યવહાર કરી ઘટીત કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh