Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્દીઓના સગા-સ્નેહીઓના લાભાર્થે
ખંભાળીયા તા. ૧૬: ગુજરાત રાજ્યની ૧૪ હોસ્પિટલોમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે વિશ્રામગૃહ બનાવવાના નિર્ણયની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હાલારના બંને જિલ્લા દ્વારકાના ખંભાળીયામાં તથા જામનગરમાં આવા વિશ્રામગૃહો બનાવવાનું નક્કી થતાં બંને જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ છે.
ખંભાળીયાની સરકારી હોસ્પિટલ તથા જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આ સવલતો ઊભી થશે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા-સંબંધીઓને સ્વચ્છ, આરામદાયક રૂમો, શુદ્ધ ભોજન તથા પાણી અને રહેવાની સુવિધા મળશે. જેની દૂરના વિસ્તારોમાંથી આવતા અને રાત્રિના હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ્યાં ત્યાં સુઈ જતા સગા-સંબંધીઓને મોટી રાહત થશે.
ગુજરાત સરકારના આ નિર્ણયને સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો, ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારોએ આવકાર આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial