Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ બાબુભાઈ દેસાઈના પરિવારનું યોગદાન
દ્વારકા તા. ૧૦ઃ દ્વારકા યાત્રાધામના વિકાસમાં ખાસ કરીને ગુજરાતી ભાવિક ભકતજનોનું યોગદાન વર્તમાનમાં ખાસ્સું એવું રહ્યું છે. આવા જ એક ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત અને ગુજરાતના વતની કાંકરેજના પૂર્વ ધારાસભ્ય તેમજ વર્તમાન રાજ્યસભાના સાંસદ બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ (વાતમાલવાળા) પરિવારે રૂપિયા દોઢ કરોડના ખર્ચે દ્વારકાધીશ મંદિર તેમજ ગોમતી નદીને અને સુદામા સેતુ ને જોડતા ધીરૂભાઈ અંબાણી માર્ગ પરના દ્વારકાના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર પ્રવેશતાની સાથે જ દ્વારાવતિ-મોક્ષદ્વારના શિર્ષક હેઠળ નવનિર્મિત કલાત્મક ભવ્ય પ્રવેશદ્વાર ભગવાન શ્રીકૃષ્ણ તથા તેમના પરિવારની યાદ અપાવે છે. કલાત્મક પથ્થરોની શિલ્પકલાથી કંડોરીને આ કલાત્મક પ્રવેશદ્વારની સંપૂર્ણ કામગીરી દ્વારકાના પૂરાતત્વના જાણકાર સ્વ. રામજીભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિરના શિખરના સીધા દર્શન આ પ્રવેશદ્વાર પરથી થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial