Advertisement
Author: નોબત સમાચાર

ગિરિરાજ કુમાર મીનાએ રાજકોટ રેલવે મેનેજરનો કાર્યભાર સંભાળ્યો

આઈ.આર.એ.એસ.ના વર્ષ-૧૯૯૬ની બેચના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: રાજકોટ ડિવિઝનના નવા ડિવિઝનલ રેલવે મેનેજરનો કાર્યભાર ગિરિરાજ કુમાર મીનાએ સંભાળી લીધો છે. ડિવિઝનલ રેલવે મેનેજર  રાજકોટ તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા તેઓ ઉત્તર પશ્ચિમ રેલવેમાં એફ એ એન્ડ સીએઓ  (જનરલ) એટલે કે નાણાકીય સલાહકાર અને મુખ્ય લેખા અધિકારી (સામાન્ય)ના પદ પર કાર્યરત હતા. ભારતીય રેલવે લેખા સેવા (આઇઆરએએસ)ના ૧૯૯૬ બેચના વરિષ્ઠ અધિકારી ગિરિરાજ કુમાર મીના એ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, જયપુરથી માનવ શાસ્ત્રમાં માસ્ટર ઓફ આર્ટસ (એમ.એ.) કર્યું છે. તેમણે પશ્ચિમ રેલવે, મધ્ય રેલવે, ઉત્તર પશ્ચિમ રેલવે અને બનારસ લોકોમોટિવ વર્ક્સ, વારાણસીમાં વિવિધ મહત્ત્વપૂર્ણ પદો પર કાર્ય કર્યું છે.  ગિરિરાજ કુમાર મીનાને વર્ષ ૨૦૧૬માં પશ્ચિમ રેલવેમાં નાયબ મુખ્ય વહીવટી અધિકારી (ટ્રાફિક) તરીકે કાર્ય કરતા ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન બદલ રેલ મંત્રાલય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ વિવિધ અભ્યાસો તથા પુસ્તકો વાંચવામાં ઊંડો રસ ધરાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh