Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીંગતેલના ડબ્બા, બાટલાની થઈ હતી ચોરીઃ
જામનગર તા. ૨૫: જામનગર નજીકના સિક્કામાં ગૌશાળા પાસે આવેલી આંગણવાડીમાંથી પાંચ મહિના પહેલાં સીંગતેલના ત્રણ ડબ્બા અને રાંધણગેસના બાટલાની ચોરી થઈ હતી. તે ગુન્હામાં ઝડપાયેલા શિક્ષકે જેલમુક્ત થવા કરેલી જામીન અરજી અદાલતે સ્વીકારી નથી.
જામનગર તાલુકાના સિક્કામાં આવેલી ૧૮૫ નંબરની આંગણવાડીમાંથી ગેસના બાટલા, તેલના ડબ્બા, રાશન વગેરેની ચોરી થઈ ગઈ હતી. જેની તા.પ-૭-રપના દિને જાણ થઈ હતી. સિકકા પોલીસે ગેસનો બાટલો, સીંગતેલના ત્રણ ડબ્બા ચોરી જવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન ખંભાળિયાના કાંતિલાલ ડાયાલાલ નકુમનું નામ ખૂલ્યું હતું. આ શખ્સ શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપીની ધરપકડ કરી તેને પોલીસે જેલહવાલે કર્યાે હતો. આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા સરકારી વકીલ રાજેશ વશીયરે દલીલ કરી હતી કે, આ આરોપી સામે અગાઉ સોળ ગુન્હા નોંધાયેલા છે અને આરોપી ગુન્હો કરવાની ટેવ ધરાવે છે. અદાલતે આરોપીની અરજી ફગાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial