Advertisement
Author: નોબત સમાચાર

શેખપાટ-ખીમરાણાના રસ્તા અંગેના દાવા સામે કરાયેલો રીવીઝન કેસ થયો નામંજૂર

મામલતદાર કોર્ટનો રિમાન્ડ કેસનો હુકમ યથાવતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫ઃ જામનગરના શેખપાટ પાસે આવેલા ખેતરમાં જવાના રસ્તા અંગે મામલતદાર કોર્ટ એક્ટ હેઠળના દાવા સામે કરાયેલા રીવીઝન કેસને પ્રાંત અધિકારીની કોર્ટે નામંજૂર કર્યાે છે.

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં જમનભાઈ દામજીભાઈ ચૌહાણનંુ ખેતર આવેલું છે. ત્યાંથી આવવા-જવાના રસ્તામાં જમનભાઈ વગેરેએ દબાણ કર્યાની અને ખેતરના શેઢે ઝાડની ડાળીઓ કાપવા ન દેતા હોવાની રજૂઆત સાથે વર્ષ ૨૦૨૩માં ગ્રામ્ય મામલતદાર કોર્ટમાં દાવા અરજી કરાઈ હતી.

તે દાવામાં પ્રતિવાદી હાજર ન થતાં કોર્ટે વાદીની દાવા અરજી મંજૂર કરી હતી. તે હુકમ સામે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરાઈ હતી. તે અપીલ ચાલવા પર આવતા આ રીવીઝન અરજી ૧૮૦ દિવસ પછી કરવામાં આવી છે. તેથી તેને રજીસ્ટરે ન લઈ શકાય અને વિલંબ અંગે કોઈ સંતોષકારક કારણ આપવામાં આવ્યું નથી તેવી દલીલ કરાઈ હતી. તેને ગ્રાહ્ય રાખી અરજદારની રીવીઝન અરજી વિલંબના કારણસર નામંજૂર કરતો હુકમ કરાયો છે અને મામલતદાર કોર્ટનો રિમાન્ડ કેસનો હુકમ યથાવત રખાયો છે. જમનભાઈ ચૌહાણ વગેરે તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh