Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીએ સરકારના ૧૧ વર્ષના સુશાસન સંદર્ભમાં
ખંભાળીયા તા. ૧૨ઃ કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ સરકારના ૧૧ વર્ષના સુશાસન સંદર્ભમાં સેવાકાર્યો ચાલી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વય વંદના અભિયાન શરૃ કરવામાં આવ્યું છે. જિલ્લાના દરેક ગામમાં રહેતા વૃદ્ધોને આયુષ્માન ભારત કાર્ડ આપવા માટે આયોજન કરીને દરેક ગામો માટે તારીખો પણ નક્કી કરવામાં આવી છેે. દરેક ગામના ભાજપ કાર્યકરોને નિયત તારીખે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને વૃદ્ધોને આ કાર્ડનો લાભ આપાવવા સહયોગની જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર દ્વારા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે દરેક વિસ્તારમાં ૭૦ વર્ષ અને તેથી ઉપરની વયના વૃદ્ધોના નામ, સરનામા, વોર્ડ, વિસ્તાર સાથેની યાદી પણ કાર્યકરોને અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial