Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે
જામનગર તા. ૮: જામનગરમાં વાયુનગર જંકશનથી ખારા બેરાજા જંકશન સુધીનો માર્ગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે વધુ બે માસ સુધી બંધ રાખવા મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી. એન. મોદી એ ધ બી.પી.એમ.સી. એક્ટની કલમ મુજબ મળેલ સત્તાની રૂએ જાહેર જનતાની આથી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે કે, જામનગર મહાનગર પાલિકાની હદમાં એરફોર્સ- ૧ ગેટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તામાં વાયુનગરવાળા રોડના જંકશનથી ખારા બેરાજાના જંકશન સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુ થી પ્રથમ તા.૦૭-૦૪-૨૦૨૫ થી તા.૦૬-૦૭-૨૦૨૫ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવેલ હતી. જે જાહેરનામાંની નવી સમય મર્યાદા તા. ૦૬/૦૯/૨૦૨૫ સુધી લંબાવવા આવી છે.
જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
એરફોર્સ ૧ ગેટથી ઢીચડા ગામ તરફ જતા રસ્તામાં વાયુનગરવાળા રોડના જંકશન થી ખારા બેરાજાના જંકશન સુધી જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે એરફોર્સ - ૧ ગેટથી ઢીચડા ગામ તરફ જતા રસ્તામાં વાયુનગર થઇ સ્વામિ નારાયણ ધામ સોસાયટી થઈ જાડાના ૧૮ મીટર ડી.પી.રોડ પર આવેલ દરગાહ થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે.
ખારા બેરાજાના જંકશનથી ઢીચડા ગામ તરફ જતા રસ્તામાં ખારા બેરાજાના જંકશનથી વાયુનગરવાળા રોડના જંકશન સુધી જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ખારા બેરાજાના જંકશન થઇ શાહમુરાદશા દરગાહ થઇ ઢીચડા ગામના રસ્તા પર ૬૬ કે.વી. સબ સ્ટેશન થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે. તેમ કમિશનર જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial