Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ખાડા' દેવની પૂજા
જામનગર શહેરમાં હજી જરાપણ નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ પડયો નથી, તેમ છતાં શહેરના અને મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગોમાં ખાડા પડી ગયા છે. રસ્તાના અતિ નબળાં કામના કારણે જામનગર ખાડાનગર બની ગયું છે. આ પ્રશ્ને જામનગર શહેર કોંગ્રેસના વોર્ડ નં. ૬ના કાર્યકરોએ આંબેડકર બ્રીજ પર ખાડા પડી ગયા હોય ત્યાં ખાડા પર બેસીને ખાડાને હાર પહેરાવીને તથા ખાડા દેવનું પૂજન કરીને અનોખું વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તેમણે તાકિદે ખાડા પુરી લોકોને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માંગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial