Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૮૫ ટકાઃ તાપમાન ૧ ડિગ્રી વધ્યું
જામનગર તા. ૧૫: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા અને ૧ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ખાસ કરીને બપોરે વધારે બફારો અનુભવાયો હતો.
જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા ઓછા થતા તથા સૂર્યપ્રકાશ જમીન પર પડતા હાલ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત ચાર દિવસમાં ગરમીનો પારો ૩.૫ ડિગ્રી ઊંચકાયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ૧ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને અડધો ડિગ્રી વધીને લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું હતું.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ખાસ કરીને ગઈકાલે બપોરે વધારે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ૩૫ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી ઠંડક અનુભવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial