Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા સહિતના આરોપીઓની કરાઈ હતી ધરપકડઃ
જામનગર તા. ૩: જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી લોહીલુહાણ હાલતમાં મળેલા એક યુવાન મૃત્યુ પામ્યા પછી તેની હત્યાના નોંધાયેલા ગુન્હામાં પોલીસે મહિલા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના એક આરોપીએ કરેલી જામીન અરજી મંજૂર રાખવામાં આવી છે.
જામનગરના દિગ્જામ સર્કલ નજીક આવેલા સિદ્ધાર્થનગરમાં રહેતા રિક્ષા ડ્રાઈવર કાનજીભાઈ ધનજીભાઈ પરમાર નામના યુવાન લોહીલુહાણ હાલતમાં દિગ્જામ સર્કલ નજીકથી મળી આવ્યા પછી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના પિતાએ પોતાના પુત્રને હીનાબેન મકવાણા, તેણીના પતિ દેપાળ સોમા મકવાણા, પુત્ર હીતેન તથા હીરા નામના ચાર વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધાની પોલીસમાં ફરિયાદ કરી હતી.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી હીનાબેન મકવાણા સહિતના આરોપીઓની ધરપકડ કરી નાખી હતી. જેલહવાલે થયેલા આરોપી પૈકીના દેપાળ ઉર્ફે દેપાભાઈ મકવાણાએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેના વકીલ કે.પી. આશર, આનંદ ગોહિલની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial