Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીનમાં ખડકાયેલ રપ જેટલા હોમ સ્ટેનું ડિમોલીશનઃ દોડધામ

રેંકડી-અથારાવાળાના દેબાણો હટાવ્યા પછી હવે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩: યાત્રાધામ દ્વારકામાં સરકારી જમીન ઉપર ગેરકાયદે બનાવાયેલ યાત્રિક ઉતારાઓને તોડી પાડી જગ્યા ખાલી કરાવવાનું અભિયાન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવતા દોડધામ મચી જવા પામી છે.

દ્વારકામાં નાના રેંકડી-ગલ્લાવાળાને દૂર ખસેડ્યા પછી હવે હોમ સ્ટેવાળાને દૂર ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

રાવળા તળાવ પાછળ પ્રવાસીઓને ઉતારા માટે બિનઅધિકૃત રીતે હોમ સ્ટે બનાવાયા છે. આ દબાણો દૂર કરવા પ્રાંત અધિકારી, નગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ દ્વારકામાં સરકારી જમીન ઉપર આશરે રપ જેટલા હોમ સ્ટે બનાવી આપવામાં આવ્યા હતાં. જેનું ડિમોલીશન શરૂ કરી દેવાયું છે.

આજે સવરે પણ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આવા બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે નગરજનો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh