Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરના એક મહિલાએ પોતાની પુત્રીની બીમારી માટે મજબૂરીથી રૂ.૩૦ હજાર ત્રીસ ટકાના વ્યાજે લીધા પછી આઠ મહિનામાં રૂ.૬૬ હજાર ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોર અને અન્ય ત્રણ શખ્સે ગાળો ભાંડી હતી અને એક શખ્સે બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગરના ગોકુલનગર નજીક સરદારનગર સ્થિત સાંઢીયા પુલ પાસે રહેતા રસીદાબેન ગુલઝારભાઈ ખફી નામના વૃદ્ધાએ પોતાની પુત્રી બીમાર હોવાના કારણે પૈસાની જરૂરિયાત ઉભી થતાં ગયા ઓક્ટોબર મહિનામાં અકબર યુસુફ ખફી પાસેથી રૂ.૩૦ હજાર ત્રીસ ટકાના વ્યાજે લીધા હતા.
ત્યારપછી મહિને રૂ.૩ હજાર, રૂ.૪ હજાર અને રૂ.પ હજાર એમ કુલ આઠ મહિનામાં રૂ.૬૬ હજાર ચૂકવી આપ્યા હોવા છતાં આ વૃદ્ધા પાસે વધુ રકમની માગણી કરી અકબર ખફી તેમજ સલીમ યુસુફ ખફી, સાજન યુસુફ ખફી, યુસુફ ઓસમાણ ખફીએ ગાળો ભાંડી ધમકાવ્યા હતા અને સલીમ યુસુફે પોતાની પાસે રહેલી બંદૂક બતાવી રસીદાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રસીદાબેને ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ તથા મનીલેન્ડર્સ એક્ટ, આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial