Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોલણીયામાં યુવાનનો હૃદયરોગે જીવ લીધોઃ
જામનગર તા. ૧૨ઃ જામજોધપુરના ધ્રાફા ગામના એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા પરપ્રાંતીય શ્રમિકનું તે ખેતરના શેઢા પાસે વાયરની ફેન્સીંગમાંથી વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કાલાવડના ગોલણીયામાં હૃદયરોગના હુમલાએ એક યુવાનની જિંદગી હણી લીધી છે.
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં જયરાજસિંહ ચંદ્રસિંહ જાડેજાના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની જીતેન્દ્ર કાલુસિંગ મેડા (ઉ.ર૭) નામના શ્રમિક ગુરૃવારે સાંજે પત્ની બિંદુબેન ઉર્ફે અંગુબેનને ચા-ખાંડ લેવા જઉં છું તેમ કહીને નીકળ્યા પછી ગઈકાલે સવાર સુધી પરત આવ્યા ન હતા.
આ શ્રમિકની કરાઈ રહેલી શોધખોળ દરમિયાન જીતેન્દ્રભાઈ વાડીના શેઢા પાસે પાણી નિકાલ માટે રાખવામાં આવેલા નાલા નજીક વાયરની ફેન્સીંગ પાસેથી બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. આ યુવાનનું ફેન્સીંગમાંથી વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. દોડી આવેલી શેઠવડાળા પોલીસે બિંદુબેનનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે અને તપાસ શરૃ કરી છે.
કાલાવડ તાલુકાના ગોલણીયા ગામના રાજેશભાઈ ભુરાભાઈ કમાણી (ઉ.વ.૪૭) નામના યુવાન ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. મૃતકના નાનાભાઈ જગદીશભાઈ કમાણીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial