Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકાદ મહિના પહેલાં આરોપીની કરાઈ હતી ધરપકડઃ
જામનગર તા. ૧૨ઃ જામનગરના એક શખ્સ સામે દસ વર્ષ પહેલાં યુવતીનું અપહરણ કરવાની ફરિયાદ જે તે વખતે પોલીસમાં નોંધાયા પછી એકાદ મહિના પહેલાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.
જામનગરમાં કેટલાક સમય પહેલાં સ્થાયી થયેલા એક પરપ્રાંતીય પરિવારની પુત્રીનું કોઈ શખ્સે અપહરણ કર્યાની ગઈ તા.૧પ-૯-૧પના દિને પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ યુવતીને જયેન્દ્રસિંહ હઠીસિંહ જાડેજા ભગાડી ગયાની શંકા વ્યક્ત કરાઈ હતી.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી શરૃ કરેલી તપાસમાં જયેન્દ્રસિંહ અને તે યુવતી મળી આવ્યા હતા. તે પછી જયેન્દ્રસિંહે હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી જણાવ્યું હતું કે, તેઓ સ્વૈચ્છાથી પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા અને સંબંધ બગડતા બંનેએ છૂટાછેડા લીધા હતા તેથી ફોજદારી કાર્યવાહી અટકાવી જોઈએ.
આ ગુન્હામાં એક મહિના પહેલાં પોલીસે આરોપી જયેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. આ આરોપીએ જેલમુક્ત થવા અદાલતમાં જામીન અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે, અપહરણનો ગુન્હો બનતો નથી, બંને પ્રેમીપંખીડાએ સ્વૈચ્છાએ નિર્ણય લીધો હતો. જો કે, મનમેળ ન થતાં સ્વૈચ્છાથી અલગ પણ થયા હતા તેથી આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ ગંભીર ગુન્હો બનતો નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ ડો. વી.એચ. કનારા તથા તેમની ટીમના એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ડી. સીસોટીયા, રૃપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, પી.ડી. વરૃ, વી.એસ. ખીમાણીયા તથા જે.એ. નંદાણીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial