Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગઈકાલે ત્રણ કેસ કોરોના પોઝિટીવ નોંધાયા

ત્રણ દર્દી હોસ્પિટલમાં: ૨૧ હોમ આઈસોલેશનમાં

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૬: જામનગરમાં ફરી એક વખત કોરોનાએ એન્ટ્રી કરી છે. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા હતાં. હાલની સ્થિતિએ હોસ્પિટલમાં બે દર્દીઓ દાખલ છે. જયારે ૨૧ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.

જામનગરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધ-ઘટ નોંધાઈ રહી છે. ગઈકાલે શહેરમાં ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં પંચવટી વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના મહિલા, પટેલ કોલોની વિસ્તારમાં ૬૫ વર્ષના પુરૂષ અને મયુર પાર્કના ૬૧ વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે. ગઈકાલે પાંચ દર્દીઓને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યા હતાં. હાલની સ્થિતિએ હોસ્પિટલમાં બે દર્દીઓ દાખલ છે. જયારે ૨૧ દર્દી હોમ આઈસોલેશનમાં છે. જયારે ગઈકાલે ગ્રામ્ય વિસ્તારના કોઈ કેસ નોંધાયો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh