Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકમાં જામનગરના એક યુવાનનો સમાવેશઃ
જામનગર તા. ૨૬: વડોદરા નજીક આવેલી નર્મદા નદીની અંકોડીયા કેનાલ પર ગઈકાલે ફરવા ગયેલા ચાર તબીબી વિદ્યાર્થીમાંથી બે વિદ્યાર્થીના કેનાલમાં પડી જવાથી મૃત્યુ નિપજ્યા છે. મૃતકમાં જામનગરના એક યુવાનનો સમાવેશ થાય છે. તેનો પરિવાર વડોદરા દોડી ગયો છે.
વડોદરા નજીક આવેલી અંકોડીયા કેનાલ પર ગઈકાલે સાંજે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ચાર તબીબી વિદ્યાર્થી ફરવા માટે ગયા હતા. જેમાં જામનગરના પ્રેમ પ્રવીણભાઈ માતંગ, સુરતના આદિત્ય રામકૃષ્ણ સંકેત નાહટો અને અંશ પારગી નામના આ વિદ્યાર્થીઓ કેનાલ નજીક ઉભા હતા.
આ વેળાએ પ્રેમ માતંગ અને આદિત્ય રામકૃષ્ણ કેનાલ નજીક હતા ત્યારે એક વિદ્યાર્થીનું ચંપલ કેનાલમાં પડી જતાં તે ચંપલ બહાર કાઢવા માટે તેઓએ પ્રયત્ન શરૂ કર્યાે હતો. જેમાં એક વિદ્યાર્થી લપસી પડતા તેનો હાથ પકડીને ઉભો રહેલો બીજો વિદ્યાર્થી પણ કેનાલમાં ખાબકી ગયો હતો.
તે પછી બંને યુવાનો નર્મદાની આ કેનાલમાં ડૂબી ગયા હતા. બનાવની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. તેઓએ ઉંડાણમાંથી બંને યુવાનના મૃતદેહ શોધી કાઢ્યા હતા. પોલીસ કાફલો પણ આવી ગયો હતો. આ બનાવે ગોત્રી મેડિકલ કોલેજના અન્ય વિદ્યાર્થીઓમાં ગમગીની પ્રસરાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial