Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં કોંગ્રેસ સામે નારાજગી દર્શાવી લારી ધારકો દ્વારા પાલભાઈ આંબલિયાનું પુતળું કચડયુ

લારી-ગલ્લા-પાથરણાવાળાને હટાવાતા કરાયેલા આંદોલનનો ગેરલાભ લેવાના આક્ષેપ સાથે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૨ઃ દ્વારકામાં છેલ્લા ૧૫ દિવસથી તંત્ર દ્વારા લારી, ગલ્લાવાળા, પાથરણાઓને તેમની જગ્યાએથી હટાવી દેવાતા, તેઓ વિરોધ દર્શાવવા દ્વારકાની પ્રાંત અધિકારી ઓફિસ સામે ધરણાં પર બેઠા હતા. તથા તેમણે દ્વારકા કોંગ્રેસ ટીમનો સહયોગ મેળવ્યો હતો. અને કોંગ્રેસના જીગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ સહિતના નેતાઓ પ્રાંત અધિકારીને આ નાના લારી ગલ્લાવાળા લોકોને જેમની જગ્યા પરત આપવી અને ધંધો કરવા દેવો, તેવા જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

લારી-ગલ્લા તેમજ પાથરણા વાળાઓના જણાવ્યા અનુસાર કે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ સાથે આપતા તેમને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું હતું. જેનો તેમને ખ્યાલ આવતા આજે લારી ગલ્લાઓ ધારકો તેમજ પાથરણા વાળા લોકોએ પાલભાઈ આંબલીયાનું પૂતળું બનાવી દ્વારકાના મટકી ચોકથી લઈ ત્રણબત્તી ચોક સુધી કોંગ્રેસ હાય હાય ના નારા સાથે મુખ્ય માર્ગો ઉપર ફર્યા હતા. અને તીન બધી ચોકમાં પાલભાઈ આંબલીયાનું પૂતળું નીચે ફેંકી લાતો મારી કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો હતો.

અને સત્તા પક્ષને વિનંતી કરી હતી કે અમને ફરી અમારા કામ ધંધા માટે યોગ્ય જગ્યા ફાળવી રોજીરોટીની વ્યવસ્થા કરવામાં આવે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh