Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરીજનોને લાભ લેવા જામ્યુકોનો અનુરોધઃ
જામનગર તા. ૧રઃ જયાપાર્વતીના વ્રત અને જાગરણ નિમિત્તે શહેરના પાર્ક તેમજ તળાવની પાળના આંબેડકર ગાર્ડન ખુલ્લા રાખવામાં આવશે. જેનો સર્વે શહેરીજનોએ લાભ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આજે એટલે કે તા. ૧ર-૭-ર૦રપ, શનિવારના જયાપાર્વતી વ્રત અને જાગરણ નિમિત્તે રણમલ તળાવ, સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ જામ રણજીતસિંહજી પાર્ક દિવસે તેના નિયત સમય મુજબ તેમજ સમગ્ર રાત્રિ દરમિયાન ખૂલ્લા રાખવામાં આવશે. તમામ પબ્લિક પ્રોપર્ટીમાં સ્વચ્છતા જાળવવા અને કોઈપણ જાતની નુક્સાની ના થાય તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial