Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુણ્ય સે ભી હોતે હૈ શ્રીમંત, જીનકી શ્રદ્ધા હોતી હૈ 'અનંત'
જામનગર તા. ૧રઃ 'છોટીકાશી' જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે આજે અનંત અંબાણી તથા રાધિકા અંબાણીના લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રિલાયન્સ દ્વારા વિશેષ શૃંગાર આરતી તથા પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યાજી દર્શનભાઈ વૈદ્ય દ્વારા રિલાયન્સ પરિવારના સભ્યોને ખેસ પહેરાવી આશિષ પાઠવવામાં આવ્યા હતાં. રિલાયન્સ પરિવારના સભ્યો દ્વારા ઠાકોરજીને ભેટરૃપે ચાંદીની થાળી અર્પણ કરવામાં આવી હતી. વિશેષ શ્રૃંગાર આરતીમાં ભક્તોની ભીડ ઉમટી હતી. આરતી પછી ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
આ તકે મંદિર દ્વારા શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને શાલીગ્રામ પૂજન સાથે સમગ્ર ધર્મોત્સવ સંપન્ન થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial