Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે
જામનગર તા. ૧: ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે. જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. બીજી ઓક્ટોબરે 'વોકેથોન' અને 'સ્વચ્છોત્સવ રેલી'નું આયોજન કરવામાં આવ્યું છે.
સવારે ૯ વાગ્યે ટાઉનહોલમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવાશે. ૯-૧પ કલાકે ટાઉનહોલથી લાખોટા તળાવ ગેઈટ નંબર ૧ સુધી સ્વચ્છતા રેલી/વોકેથોન યોજાશે. ૯-૩૦ થી ૧૦ સુધી પ્રોત્સાહક ઈનામનું વિતરણથશે તથા સ્વચ્છતા અંગે શેરી નાટક રજૂ થશે. આ સમયે સફાઈ કર્મચારી ગીત રજૂ કરશે.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિતિ તરીકે મેયર વિનોદ ખીમસૂર્યા, ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય સરકારના મંત્રી મૂળુભાઈ બેરા અને મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, સ્ટે. કમિટી ચેરમેન નિલેષ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, વિપક્ષના નેતા ધવલ નંદા, શાસકી પક્ષના દંડક કેતન નાખવા, અને નેતા આશિષ જોષી વિગેરે ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial