Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રિમાં માતાજીની વિશેષ પૂજા અર્ચનાઃ
દ્વારકા તા. ૧: દ્વારકાના ઘ્રેવાડ ગામે મહાકાળી માતાજીનું પૌરાણિક અને ચમત્કારિક મંદિર આવેલું છે. સ્થાનીકોની આસ્થાનું પ્રતીક સમા આ પૌરાણિક મંદિરે દર વર્ષે હજારો ભાવિકો મહાકાળીના દર્શનાર્થે આવે છે. ખાસ કરીને નવરાત્રિ દરમ્યાન માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પધારે છે. માતાજીના મંદિરે આવેલી અખંડ જયોતમાં આવનારા દરેક ભાવિકો ઘી હોમે છે. રબારી સમુદાયનો વિશાળ વર્ગ મહાકાળી મંદિરમાં વિશેષ આસ્થા ધરાવતો હોય દર વર્ષે હજારો ભાવિકો દર્નાર્થે આવે છે. દ્વારકાના ગુગળી બ્રહ્મણો દ્વારા નવરાત્રિ દરમ્યાન દરરોજ માતાજીનો અલગ અલગ વિશેષ શૃંગાર યોજી લાડ લડાવવામાં આવે છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા પણ છેલ્લાં વર્ષોમાં આ મંદિર પરિસરમાં યાત્રાળુઓ માટે ગાર્ડન, લોન તેમજ બેઠક વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial