Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભ્રષ્ટાચાર કે તંત્રની બેદરકારી!
ખંભાળિયા તા. ૯: ખંભાળિયાના રામનગરથી વીરમદડ સુધી નવો રોડ બનાવવામાં આવ્યો હોય, કોઝવેના કામો ચાલુ છે, ત્યારે આ રસ્તો નબળો બન્યો હોય, આ બાબતે અગ્રણી તથા વીરમદડના પૂર્વ સરપંચ ખીમાભાઈ આંબલિયા દ્વારા કાર્યપાલક ઈજનેર તથા સાંસદ, ધારાસભ્ય, વિકાસ કમિશનર, જિલ્લા કલેક્ટરને રજૂઆતો કરવામાં આવી છે.
તેમણે ફરિયાદમાં જણાવેલ કે જે જુનો રોડ હતો તેમાં અનેક ખાડા પડ્યા હતાં તે રીપેર કર્યા વગર સીધો રોડ કરતા ડામર કે કાંકરીનું પ્રમાણ જળવાયું નથી જે નવો રોડ બનાવેલ છે તે લેવલ વગરનો હોય, ખાડા પડવાની જગ્યાએ નીચો તથા ટેકરાવાળામાં ઊંચો છે. જુના રોડ પર નવો ડામર રોડ કઢાયો તેનું ઉપરનું સ્તર ખૂબ જ પાતળું કરાયું છે. રોડની બાજુની જગ્યા આવેલી છે ત્યાં પૂરતા પ્રમાણમાં જગ્યા કે ભરતી પણ નથી થઈ જેથી એક્સીડન્ટ થવાની સંભાવના રહે છે. કેમ કે વોટરીંગ કે લેવલીંગ પણ થયું નથી.
ખંભાળિયાથી કલ્યાણપુરને જોડતો ટૂંકો રસ્તો આ હોય, અહીં મોટા હેવી વાહનો ચાલે છે. તેકમ કે અહીં રેલવે ફાટક પણ એકેય નથી આવતું જેથી પ૦-પ૦ ટનથી વધુ લોડના વાહનો અહીંથી નીકળતા હોય, રોડની કેપેસીટી મુજબ બેરીકેડો રામનગર જ્યાંથી શરૂ રસ્તો થાય ત્યાંથી કરવા માગ કરાઈ છે.
જો આ બાબતે તાકીદે યોગ્ય નહં થાય તો કલ્યાણપુરથી ખંભાળિયાના રાહદારીઓ તથા વાહનચાલકો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચિમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial