Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસની રિમાન્ડ માટેની અરજી નામંજૂરઃ
જામનગર તા. ૧૬: જામનગરના શંકરટેકરીમાં મકાન ભાડે રાખી મકાન માલિકના કબાટનું તાળુ તોડી ચોરી કરી લીધાની ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ થયા પછી ઝડપાયેલા શખ્સને રિમાન્ડ પર લેવાની પોલીસની અરજી અદાલતે નામંજૂર કરી આરોપીને જેલહવાલે કર્યાે છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરામાં રાહુલભાઈ પીઠડીયા નામના આસામીના મકાનમાં ભાડેથી રહેવા આવેલા હિમાંશુ સોલંકી, કાજલબેન તથા અશોક નામના વ્યક્તિઓએ મકાન માલિકના કબાટનું તાળુ તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂ.૯પ હજારની મત્તાની ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
તપાસના અંતે પોલીસે રૂ.૭પ હજારના મુદ્દામાલ સાથે હિમાંશુ જયંતિલાલ સોલંકીની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કર્યાે હતો. જ્યાં આરોપીના વકીલ ગૌતમ ગોહિલ, નરેન કણઝારીયા, મનિષા ગોહિલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે રિમાન્ડ પર લેવાની પોલીસની અરજી રદ્દ કરી છે અને આરોપીને જેલહવાલે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial