Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આરએસએસ શતાબ્દી વર્ષ નિમિત્તે વિજ્યાદશમીની ઉજવણી

સાંસદ,ધારાસભ્ય સહિતનાં મહાનુભાવો સંઘનાં પણ કાર્યક્રમમાં જોડાયા

                                                                                                                                                                                                      

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે જામનગર શહેર જિલ્લા તથા સમગ્ર હાલારમાં વિજ્યાદશમી ઉત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ગઇકાલે બીજી ઓક્ટોબરે શહેરનાં ગાયત્રી ઉપનગર અંતર્ગત સરૂ સેક્શન વિસ્તારમાં સરલાબેન ત્રિવેદી આવાસ ભવન સામેનાં મેદાનમાં, સરદાર પટેલ ઉપનગર અંતર્ગત વી.એમ.મહેતા કોલેજ (પંચવટી કોલેજ) માં તથા અન્નપૂર્ણા ઉપનગર અંતર્ગત લાલવાડી પટેલ સમાજમાં કાર્યક્રમ યોજાયા હતાં. વી. એમ. મહેતા કોલેજમાં આયોજીત કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રીવાબા જાડેજા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, શાસક પક્ષનાં નેતા આશિષભાઇ જોષી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સહિતનાં સત્તાધીશો તથા જાણીતા ઓર્થોપેડીક ડો. કે.એસ.મહેશ્વરી સહિતનાં મહાનુભાવો પણ જોડાયા હતાં.કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં સંઘનાં અનુયાયીઓ સંઘનાં પહેરવેશ સાથે જોડાયા હતાં તથા સંઘ ગીતનાં ગાન સહિતનાં કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh