Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની વિવિધ રપ ગરબીમાં જોબનપુત્રા પરિવાર દ્વારા એક હજાર બાળાને લ્હાણી વિતરણ

નવરાત્રિ પર્વમાં સેવાકાર્યથી માતૃશક્તિની આરાધનાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરમાં જલારામ મેટલ એલોપ્સવાળા મેહુલભાઈ જોબનપુત્રા દ્વારા નવરાત્રિ દરમિયાન માતૃ શક્તિની આરાધનાનું પર્વ ઉજવવા તેમના માતા રમીલાબેન ધીરજલાલ જોબનપુત્રાના નામ સંકલ્પથી શહેરની વિવિધ રપ ગરબીમાં કુલ ૧ હજાર બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

પોતાના પિતા ધીરજલાલ જોબનપુત્રાની પ્રેરણાથી આ સંસ્કૃતિ અને સેવાના યજ્ઞમાં વિશાલભાઈ પરમાર, દિપેનભાઈ ગુઢકા, મહેશભાઈ, જયભાઈ, મનિષભાઈ, પ્રતીકભાઈ, નાજાભાઈ, રામભાઈ, શૈલેષભાઈ, દેવેનભાઈ વિગેરેએ સંકલન કરી જહેમત ઉઠાવી હતી.

જામનગરના ગુલાબનગર, મોહનનગર, ગોકુલનગર રડાર રોડ, હાપા, દરેડ જીઆઈડીસી સહિત એરિયામાં અંદાજે રપ જેટલી ગરબી મંડળમાં જઈ સંકલન કર્યું હતું, અને ત્યારપછી ૧,૦૦૦ જેટલી બાળાઓને નવરાત્રિના પર્વ દરમિયાન લ્હાણીનું વિતરણ કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh