Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સંચાલક મંડળ દ્વારા
ખંભાળીયા તા. ૧૫: ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં છેલ્લા સોળ વર્ષથી કલાર્ક, પટાવાળાઓની ભરતી જ ન થતાં કલાર્ક, વહીવટી સહાયક શાળા સહાયકની ખાલી જગ્યાઓના મુદ્દે રાજ્ય સંચાલક મંડળના અગ્રણીઓ ડો. શંકરસિંહ રાણા, ભાસ્કર પટેલ તથા મનુભાઈ રાવલની આગેવાનીમાં આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરીને છેલ્લી રજૂઆત નિયામકને કરાઈ છે.
૧૧-૨-૨૦૧૧ના જાહેરનામાની રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં સ્ટાફ નિયમિત અને સમયસર આપવાની જવાબદારી સરકારની હોવા છતાં પણ શિક્ષણ વિભાગ ભરતી પ્રક્રિયા કરતું જ નથી. ૨૦૦૯ થી આ અંગે કોઈ સ્પષ્ટ સૂચના કે કાર્યવાહી ના થતાં ૧૬ વર્ષથી ભરતી ના થતાં હાલ ૩૫% જ સ્ટાફ હોવા છતાં રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક, પટાવાળાની ભરતી થતી નથી.
રાજ્યના શાળા સંચાલક મંડળ તથા અન્ય શૈક્ષણિક સંઘો દ્વારા વારંવાર રજૂઆતો છતાં પણ ભરતી ના થતાં તા. ૧૫-૮-૨૫ થી રાજ્યની પ્રત્યેક શાળાઓના મંડળો તથા શાળા દ્વારા અસહકાર આંદોલન શરૂ કરવા જાહેરાત થઈ છે.
શાળાઓ દ્વારા રાજ્ય તથા જિલ્લા કચેરીઓ દ્વારા માંગવામાં આવતી માહિતીઓ નહીં મોકલાય, ઓનલાઈન હાજરીની રોજની પ્રક્રિયા બંધ કરાશે, જિ.શિ. કચેરી તથા કલેકટરની કચેરીના કાર્યક્રમો બેઠકો, તાલીમો, રમતોત્સવોમાં ભાગ નહીં લેવાય તથા ઈન્સ્પેક્શન કાર્યમાં પણ સાથ નહીં અપાય.
તા. ૧૫-૮-૨૫ થી તા. ૧૪-૯-૨૫ સુધી આ કાર્યક્રમો થયા પછી તા. ૧૫-૯-૨૫થી અન્ય પ્રકારના આંદોલનાત્મક કાર્યક્રમો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial