Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘપર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરીઃ
જામનગર તા. ૧૫: લાલપુરના મેઘપર ગામમાં રવિવારે ગુજરી બજારમાં આવેલા મૂળ બિહારના એક યુવાન કોઈ રીતે પગ લપસી જતા પાણીથી છલોછલ કૂવામાં પડી ગયા હતા. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.
જામનગર-ખંભાળિયા રોડ પર લાલપુર તાલુકાના મેઘપર ગામમાં દિલીપસિંહ નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વિક્રમગંજ ગામના વિવેકભાઈ રાજકુમાર શર્મા (ઉ.વ.૩૦) નામના શ્રમિક મેઘપર ગામ પાસે ભરાતી ગુજરી બજારના મેદાનમાં રવિવારે આવ્યા હતા.
ત્યાં ફરી રહેલા આ યુવાન કોઈ રીતે પગ લપસી જતા નજીકમાં આવેલા પાણીથી છલોછલ ભરેલા કૂવામાં ખાબકી ગયા હતા. આ યુવાનને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે પહેલાં વધુ પડતું પાણી પી ગયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. રામબાણસિંગ મુકુંદસિંગ રાજપૂતે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial