Advertisement
Author: નોબત સમાચાર

અકસ્માતમાં ઈજાના કિસ્સામાં વ્યાજ સાથે વળતર ચૂકવવા કરાયો આદેશ

વીમા કંપનીએ વળતરનો કર્યાે હતો ઈન્કારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના એક આસામીને નડેલા અકસ્માતમાં લેવી પડેલી સારવારનો ક્લેઈમ ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યાે છે.

જામનગરના હર્ષલ વિજયભાઈ સોજીત્રા નામના આસામીએ ઓરીએન્ટેલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યા પછી તેમના બાઈક આડે કૂતરૂ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર લેવી પડી હતી.

સારવારમાં તેઓને રૂ.૨૩૪૨૧૫નો ખર્ચ થયો હતો. તે ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફોરમે તે રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચના રૂ.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh