Advertisement
Author: નોબત સમાચાર

વીલથી મિલકત ધારણ કરનારની નોંધ સામે લેવાયેલો વાંધો રખાયો નામંજૂર

મોટી બાણુંગારની જમીન અંગેનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના મોટી બાણુંગાર ગામની એક જમીનના હિસ્સેદારનું અપરિણીત રીતે અવસાન થયા પછી તેઓની જગ્યા વીલથી ધારણ કરનાર વ્યક્તિની વસીયત નોંધ સામે વાંધો લેવાયો હતો. તે તકરાર ચાલી જતાં પ્રાંત અધિકારીએ વાંધા અરજી નામંજૂર કરી છે.

જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં આવેલી ખેતીની એક જમીનમાં લાભુભાઈ દેવશીભાઈ વગેરે આઠના નામ આવેલા છે. તે પૈકીના સુરેશભાઈ દેવશીભાઈનું પાંચ વર્ષ પહેલાં અપરિણીત રીતે અવસાન થયું હતું.

તે પછી તેઓના વીલ મુજબ તેમની હિસ્સાવાળી જમીન ભરત દેવશીભાઈના નામે દાખલ કરવા અરજી થઈ હતી. તેની નોંધ કરાતા લાભુભાઈ દેવશીભાઈ વગેરેએ વાંધા અરજી રજૂ કરી હતી. તેથી પ્રાંત અધિકારીની કોર્ટમાં તકરારી કેસ દાખલ થયો હતો.

આ જમીન વસીયતનામાથી ધારણ કરનાર ભરત દેવશીભાઈએ જવાબ રજૂ કર્યાે હતો અને તેઓએ જણાવ્યું હતું કે, વીલનું પ્રોબેટ પણ તેઓએ મેળવ્યું છે. જેમાં વાંધેદારે કોઈ વાંધો લીધો ન હતો. પ્રાંત અધિકારીએ બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી વાંધા અરજી નામંજૂર કરી વસીયત અંગેની નોંધ નંબર ૬ર૦૫ મંજૂર કરવાનો આદેશ કર્યાે છે. પ્રતિ વિવાદી ભરતભાઈ તરફથી વકીલ ભાર્ગવ મહેતા, ભીમશીભાઈ બોદર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh