Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ તેમજ સાસુ સામે દુષ્પ્રેરણાનો ગુન્હોઃ
જામનગર તા. ૧૪ઃ જામનગરના એક યુવતીના લગ્ન ખેડા જિલ્લામાં એકાદ વર્ષ પહેલાં કરવામાં આવ્યા પછી દહેજની માગણી કરી પતિ-સાસુએ ત્રાસ આપવા ઉપરાંત સંતાન ન થતું હોવાના મેણા મારતા આ યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેણીની માતાએ જમાઈ તથા વેવાણ સામે દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી આલાપ સોસાયટીની શેરી નં.૨માં રહેતા હેમકુંવરબા દેવાજી જાડેજા નામના પ્રૌઢાના પુત્રી નયનાબાના લગ્ન એકાદ વર્ષ પહેલાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મહુડાપરા વડતાલ ગામમાં રહેતા યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમાર સાથે થયા પછી આ પરિણીતાને પતિ યોગેન્દ્રસિંહ તથા સાસુ રીટાબાએ અવારનવાર દહેજની માંગણી કરી હતી.
તેણીને દહેજ બાબતે પજવવા ઉપરાંત સંતાન થતું ન હોવાથી શારીરિક, માનસિક ત્રાસ આપવાનું શરૃ કરાયું હતું. અવારનવાર પતિની મારકૂટ અને મેણાટોણાથી કંટાળી જઈ નયનાબાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ યુવતીને ત્રાસ આપી મરી જવા માટે મજબૂર કરનાર પતિ તથા સાસુ સામે હેમકુંવરબાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial