Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દીવા તળે અંધારૃં...મનપાનું જ આંગણું...ગંદુ હોય ત્યાં શહેર કેવું હશે ?
જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં જ સર્જાયેલા આ ઊકરડાના દૃષ્યો જોઈને સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠે કે જે મહાનગરની મુખ્ય કચેરીમાં જ આ પ્રકારના ઊકરડા હોય, તે મહાનગરની હાલત કેવી હશે ? અહીં જે.એમ.સી. લખેલી કચરાપેટી ખુદ પણ 'કચરો' થઈ ગઈ હોય તેમ જણાય છે, અને અહીં બે ટ્રેકટર ભરાય તેટલો કચરો એકઠો થઈ ગયો છે. આથી ફેલાતી ગંદકી અહીં દરરોજ કામકાજ માટે આવતા-અરજદારો તથા ફરજ બજાવતા કર્મચારીઓના આરોગ્ય પર ઝબુબતા ખતરા સમાન બની ગઈ છે. અહીંથી મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થતા હોય ત્યારે આ ઊકરડો જોતા જ નહીં હોય, કે કોઈ અકળ કારણોસર આંખ આડા કાન કરતા હશે, કે પછી મનપામાં મોટા માથાઓ પણ ગુટલી મારતા હશે ! તેવા સવાલો ઉઠી રહ્યા છે. માત્ર મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ જ નહીં, પરંતુ લાલબંગલા સર્કલમાં જ અન્ય અનેક સરકારી કચેરીઓ આવેલી હોવાથી તેઓ પણ આ જુગુપ્સા (સુગ) ઊભી કરે તેવા દૃષ્યો નજરે નિહાળતા હશે, પરંતુ પેધી ગયેલા તંત્રો પાસે કદાચ તેનું કાંઈ ચાલતુ જ નહીં હોય, અથવા કોઈક પ્રકારની 'શરમ' નડતી હશે...ભગવાન જાણે...જે હોય તે ખરૃં પરંતુ કોઈ જાગૃત નાગરિક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદૃેશીને રજૂઆત કરશે અને લખશે કે, 'મોદીજી.....જુઓ, તમારા સ્વચ્છતા અભિયાનના કેવા ધજાગરા ઉડી રહ્યા છે ? તે પછી શું થશે, તેની કલ્પના કરીને કમ-સે-કમ જામનગર મહાનગરપાલિકા પોતાનું આંગણું સ્વચ્છ રાખવાની ગંભીરતા દાખવશે, તેવું ઈચ્છીએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial