Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૪ થી ૧૬ ફેબ્રુ. સુધી
જામનગર તા. ૧૦: ત્રી દિવસીય આ પર્વમાં શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન કે જે સામાજિક કાર્યો જેવા કે નિઃશુલ્ક સારવાર, નિઃશુલ્ક વાંચનાલય, વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક ચોપડાઓનું વિતરણ જેવા સમાજલક્ષી કાર્યો કરે છે. તેના સ્થાપક અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય શ્રી નારાયણભાઈનો પ્રાગટ્ય દિન પણ સત્સંગ બ્રહ્મયજ્ઞમાં ઉજવાશે. આ પ્રસંગે સદગુરૂ પૂજ્ય શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી (મહંતશ્રી શ્રી સ્વામિનારાયણ મંદિર જેતપુર) શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રી અને પૂજ્યશ્રી નારાયણભાઈએ સમજાવેલ શિક્ષાપત્રીના રહસ્યસારની કથા પારાયણનો લાભ આપશે.
શિક્ષાપત્રી રહસ્યસારની પોથીયાત્રા ડિવાઇન મિશનથી બ્રહ્મયજ્ઞ સ્થળ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં જશે. તથા તારીખ ૧૪ના રાત્રે ૮ વાગ્યે ભવ્ય રાસોત્સવ યોજાશે. આ સત્સંગ બ્રહ્મયજ્ઞમાં અનેક ધામોના સંતો-મહંતો તેમજ દેશ-વિદેશથી હરિભક્તો પધારશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial