Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં મેઘરાજાનો વિરામઃ
જામનગર તા. ૩: જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન મેઘરાજાએ વિરામ રાખ્યો છે. આજે પણ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ બનેલું છે, પરંતુ મેઘરાજાએ પધરામણી કરી નથી. એકમાત્ર જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામજોધપુર ટાઉનમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન આઠ મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ૧ર મી.મી., ઉપરાંત લાલપુરના હરિપર ગામમાં ૧૦ મી.મી. તથા પરડવા ગામમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે. બાકી અન્ય તમામ સ્થળોએ મેઘરાજાએ વિરામ રાખ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial