Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોસ્પિટલ, દવાખાના, લેબ-પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ સહિત
ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ આરોગ્ય સંસ્થાઓએ ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ ર૦ર૧ અંતર્ગત તા. ૧ર સપ્ટેમ્બર સુધીમાં નોંધણી કરાવી લેવાની રહેશે.
ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, ર૦ર૧ અંતર્ગત જુદી જુદી ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી, સિદ્ધ અને યુનાની સેવાઓ આપતી જાહેર તથા ખાનગી તથા ટ્રસ્ટ સંચાલિત તબીબી સંસ્થાઓ જેવી કે ક્લિનિક, હોસ્પિટલ, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી લેબોરેટરી, એક્સ-રે અને ઈમેજિંગ સેન્ટરોએ નોંધણી કરાવવી આવશ્યક છે. આ અધિનિયમ અંતર્ગત સંસ્થાની નોંધણી કરાવ્યા વગર હોસ્પિટલ-ક્લિનિક સંચાલિત કરવું એ કાયદાની જોગવાઈ મુજબ દંડનિય અપરાધ છે. આ અધિનિયમનું જિલ્લા દેવભૂમિ દ્વારકા સહિત સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં સઘન અમલિકરણ કરવામાં આવી રહેલ છે. આ અધિનિયમ અંતર્ગત સંસ્થાની નોંધણી મટો વેબ પોર્ટલ ઉપર અરજી કરી શકાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial