Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ શિક્ષક સંઘ સહિતનાઓ દ્વારા
જામનગર તા. ૩: દેશના વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે શિક્ષક સંઘો દ્વારા રાજ્યભરમાં એકસાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર શહેર-જિલ્લામાં પણ છ સ્થળોએ કેમ્પ યોજાનાર છે, અને સમગ્ર રાજ્યમાં એકસાથે રક્તદાન કેમ્પ યોજીને ગિનિસ બુકમાં નામ નોંધાવવા પ્રયાસો થઈ રહ્યા છે.
દેશના વડાપ્રધાનના ૭પમા જન્મ દિવસની તા. ૧૦-૯-ર૦રપ ના દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. ઉપરાંત રાજ્યના તમામ શિક્ષક મંડળ સહિત સંયુક્ત કર્મચારી મોરચાની બેઠક તાજેતરમાં પ્રમુખ દિગુભા જાડેજાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં રાજ્યમાં એકસાથે તા. ૧૬-૯-ર૦રપ ના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યમાં એક જ દિવસમાં એક લાખ લોકો રક્તદાન કરશે તે પ્રકારનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. એક વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધાશે.
જામનગરમાં પણ ડી.કે.વી. કોલેજ, નેશનલ હાઈસ્કૂલ, લાલપુરની વીર સાવરકર હાઈસ્કૂલ, ધ્રોળ-જોડિયા માટે દિપસિંહજી રાજપૂત છાત્રાલય, કાલાવડમાં હિરપરા કન્યા વિદ્યાલય અને જામજોધપુરમાં સમાજમાં રક્તદાન કેમ્પનો કાર્યક્રમ યોજાશે, તેમાં આશરે ૩૦૦૦ લોકો જોડાય તેવી શક્યતા છે.
શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જડેજાના જણાવ્યા મુજબ અગાઉ બે વખત વડાપ્રધાનના જન્મ દિવસે શિક્ષકોના મુદ્દે આંદોલન કરાયા હતાં, જેનો ઉકેલ તા. ૧૬ ના આવ્યો હતો. શિક્ષક સંઘની ફક્ત આંદોલનકારી તરીકે છાપ રહે નહીં તે હેતુથી આ સેવા કેમ્પ યોજાયો છે. જેનું આયોજન રેડક્રોસ સોસાયટી કરી રહી છે. આ અંગે ગત તા. ર૦ ના ગાંધીનગરમાં અને તા. ર૪ ના જામનગરમાં બેઠક યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial