Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં વિકાસ માંદો પડ્યો છે!!!

ભ્રષ્ટ કબજિયાતનો ચાંદો પડ્યો છે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: ગુજરાતમાં ઠેર-ઠેર વિકાસના માચડા ખડકાયા છે અને ખડકાઈ પણ રહ્યા છે, પરંતુ તકલાદી કામો ટકતા નથી અને ભ્રષ્ટાચારીઓ અટકતા નથી તેથી એમ કહી શકાય કે શાસનના મોઢામાં પેટના ભ્રષ્ટાચારરૂપી કબજિયાતનો ચાંદો પડ્યો છે.

મેડિકલ સાયન્સ કહે છે કે બધા રોગનું મૂળ કબજિયાત છે. ગુજરાતના વિકાસના પેટમાં જ ભ્રષ્ટ કબજિયાત હોવાથી રાજ્યમાં વિકાસ માંદો પડ્યો છે, તેથી જ આંતરિક અસંતોષ ઘાંઘો થયો છે.

બીજી તરફ સ્થાપિત હિતો બેફામ બન્યા છે, કરોડોનું કરી નાંખનારને બે-પાંચ લાખનો દંડ કરવાના નાટકો થાય છે અને પ્રજાના પૈસે તાગડધિન્ના થઈ રહ્યા છે. મરામતોના મહાત્મય ગવાય છે, અને અબજોના આંધણ વેડફાઈ જાય છે.

કોઈને ય ભય રહ્યો નથી, કાયદાથી કોઈ ડરતું નથી, નિયમ-કાનૂન નેવે મૂક્યા છે, ભૂખા તો ભ્રષ્ટાચારી ભોરીંગોની વધી રહી છે અને ભ્રષ્ટાચાર તો હવે શિષ્ટાચાર બન્યો છે, ત્યારે એવો કટાક્ષ થાય છે કે, આને કહેવાય ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ગ્રસ્ત શાસન-પ્રશાસન.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh