Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં વંધ્યત્વ નિવારણ યોજના અંતર્ગત
જામનગર તા.૧૮: સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી સમગ્ર રાજ્યમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં વંધ્યત્વ નિવારણ અર્થે નવીન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે ૧૬/૦૭/૨૦૨૫થી થી જાન્યુઆરી-૨૦૨૬ સુધી ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે વિવિધ ગામોમાં પશુપાલકોને તેમને પશુઓના આરોગ્ય અને ઉત્પાદકતા વધારવા માટે સહાયરૂપ થવા માટે પશુપાલન વિભાગ દ્વારા પશુ વ્યંધત્વ નિવારણ માટે વિશેષ જાતીય આરોગ્ય સારવાર કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે જિલ્લાના કુલ ૮૦ જેટલા ગામોની પસંદગી પણ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ જીલ્લાના તમામ પશુપાલકો (દૂધસંઘના સભાસદ ન હોય તેવા પણ) લઈ શકશે.
ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં વંધ્યત્વની સમસ્યાને લઈ દુધ ઉત્પાદન પર તેની માઠી અસર પડતી હોય છે. આ કેમ્પ અંતર્ગત પશુઓમાં વંધ્યત્વ (બાંજપણ)ની સમસ્યા ધરાવતી ગાય-ભેંસ માટે નિઃશુલ્ક ચકાસણી, જરૂરી દવાઓનું વિતરણ અને યોગ્ય સારવાર કરવામાં આવશે. પશુપાલકોને પશુ પોષણ અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.
જાતીય આરોગ્ય સારવાર કેમ્પ અંતર્ગત પસંદ થયેલ પ્રત્યેક ગામ દીઠ ઓછામાં ઓછા ૫૦ પશુનું રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે અને પ્રત્યેક ગામમાં એક મુખ્ય કેમ્પ તથા બે ફોલોઅપ કેમ્પ મળી કુલ ત્રણ કેમ્પ કરવામાં આવનાર છે જેમાં બે કેમ્પ વચ્ચે ઓછામાં ઓછા ૩૦ દિવસનો સમયગાળો રાખવામાં આવશે. જેથી મુખ્ય કેમ્પમાં સારવાર મેળવી ચુકેલા પશુઓ માટે પ્રથમ ફોલોઅપ અને દ્વિતીય ફોલોઅપ કેમ્પમાં જરૂરી સારવાર આપી શકાય. ૮૦ ગામો પૈકી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાને ૧૨ ગામ અને જિલ્લા દૂધ સંઘને ૨૦ ગામનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તેમ નાયબ પશુપાલન નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial