Advertisement
Author: નોબત સમાચાર

જામનગરનું રેનબસેરા કે ગેસ્ટ હાઉસ ? કોણે કાયમી રહેવાની છૂટ આપી ? ચર્ચા જાગી

એક યુવક-યુવતીને વસવાટ કરતા પકડી પાડ્યાઃ પૂછપરછ કરાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા માર્ગે રેનબસેરા બનાવાયું છે. જ્યાં એક યુવક-યુવતી વસવાટ કરતા હોવાનું ધ્યાનમાં આવતા હિન્દુ સંગઠનોના આગેવાનો દોડી ગયા હતા. અને સમગ્ર મામલો પોલીસમાં લઈ જવાયો હતો. બીજી તરફ રેનબસેરા રામ ભરોસે ચાલતું હોવાનું પણ ફલીત થયું છે. જેનો હોટલ કે ગેસ્ટહાઉસ તરીકે ઉપયોગ થતો હોવાનું પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે.

ગરીબો અને ફૂટપાથ પર રહેતા લોકો, ઘર વિહોણા લોકો માટે રેનબસેરા બનાવાયું છે. ખાસ કરીને કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકોને મહાનગરપાલિકા રેનબસેરામાં રાતવાસો કરવાની સુવિધા આપે છે.

આ હાપા માર્ગ પર આવેલ રેનબસેરા (સેલ્ટર હોમ)માં એક યુવતી અને વિધર્મ યુવક રેનબસેરામાં રહેતા હોવાની માહિતી મળતા હિન્દુસેના અને હિન્દુ જાગરણ મંચના આગેવાનો રેનબસેરામાં દોડી ગયા હતા. અને યુવક-યુવતીને પકડી પાડી મામલો પોલીસમથક સુધી લઈ જવાતા પોલીસે બંનેની પુછપરછ કરી હતી.

ત્યારે અહીં અનેક સવાલો મહાનગરપાલિકાના શાસકો સામે ઊભા થયા છે. શું આ રેનબસેરા હોટલ કે ગેસ્ટ હાઉસ છે. ? કોણે આ બંનેને ત્યાં વસવાટ કરવાની પરવાનગી આપી હતી ? આ બાબત હાલ ચર્ચાના ચકડોળે ચડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh