Advertisement
Author: નોબત સમાચાર

લોન મંજૂર ન થાય, તો પ્રોસેસીંગ ફી શેની ?

અરજદારના જરૂરી કાગળો, સિવિલ સ્કોરની જાણ હોવા છતાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: બેંકમાં લોન મેળવવા જતા અરજદાર પાસેથી પ્રોસેસીંગ ફી  ના નામે પૈસા મેળવી લીધા પછી તેની લોનની માંગણી ના મંજૂર થાય છે ત્યારે અરજદારના પ્રોસેસીંગ ફી ના નાણા ડૂબી જાય છે, તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

જામનગરમાં સુનિલ ઝાલાએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, લોન મેળવવા જતા વ્યક્તિના જરૂરી કાગળો, તેનો સિવિલ સ્કોર તમામની જાણ હોવા છતાં બેંક અધિકારી પ્રોસેસીંગ ફી ના નામે પૈસા પડાવે છે અને પછી જવાબ મળે છે કે, તમારી લોન ના મંજૂર થવા પામી છે. આવા કિસ્સામાં પ્રોસેસીંગ ફી ના નાણા બેંક દ્વારા પરત કરવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh