Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંદાજે રૂા.૩૬ લાખથી વધુની જગ્યા ખાલી કરાવવા તંત્રની કવાયતઃ
દ્વારકા તા. ૧: દ્વારકામાં આવેલા જલારામ મંદિર વિસ્તારમાં આવેલી સરકારી જમીન પરના બાંધકામો દૂર કરવા માટે આજ સવારથી વહીવટી તંત્રએ પોલીસને સાથે રાખી બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે. બે ભવન તથા એક ખાનગી મિલકતમાં દબોચાઈ ગયેલી ૨૩૦૦ ચોરસ ફૂટ સરકારી જગ્યા ખાલી કરાવવાની નેમ સાથે પાડતોડ શરૂ કરાયું છે. તેના અંતે જંત્રી મુજબની રૂા.૩૬ લાખથી વધુની જગ્યા ખાલી થવા પામશે.
દ્વારકા શહેરમાં જલારામ મંદિર વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર ખડકાઈ ગયેલા કેટલાક કોમર્શિયલ પરંતુ ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે આજ સવારથી પ્રાંત અધિકારી અમોલ આવટેના વડપણ હેઠળ વહીવટી અધિકારીઓની ટીમ દ્વારા પોલીસતંત્રને સાથે રાખી કામગીરી શરૂ કરવામાં આવી છે.
દિવાળીના મીની વેકેશન પછી આજ સવારથી તંત્ર દ્વારા દબાણ હટાવવાનું કામ શરૂ કરવામાં આવતા અંદાજે ૨૩૦૦ ચોરસ ફૂટ જગ્યા ખૂલી થવા પામશે. બજાર કિંમત રૂા.દોઢ કરોડથી વધુ ધરાવતા આ જગ્યાની જંત્રી મુજબની કિંમત રૂપિયા પોણા સાડત્રીસ લાખ આકારવામાં આવી છે.
ત્યાં આવેલા સુદામા ભવનમાં કેટલાક ઓરડા, એક હોલ, રસોડુ તથા પાર્કિંગની જગ્યા ખૂલી કરાવવા ઉપરાંત સીકોતેર ભવનના આઠ રૂમ અને ટપુભા અજાભા માણેક નામના આસામીના ચાર ઓરડા પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવશે.
દ્વારકા યાત્રાધામને કોરીડોર તરીકે વિકસાવવાના લક્ષને ધ્યાનમાં રાખીને ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની શરૂ કરાયેલી કામગીરી અંતર્ગત વેકેશન પછી તંત્રવાહકોએ ઉપરોક્ત દબાણો દૂર કરાવી ૨૩૦૦ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરાવવા તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial