Advertisement
Author: નોબત સમાચાર

ઘર પાસે ગંદકી અને દેકારો ન કરવાનું કહેવા ગયેલા વૃદ્ધ પર પિતા-પુત્રો દ્વારા કરાયો હુમલો

ગાળો ભાંડી લાકડી-પાઈપથી ફટકાર્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના ધરારનગર-રમાં ઘર પાસે ગંદકી કરતા અને રાત્રે દેકારો કરી સુવા ન દેતા પાડોશીઓને એક વૃદ્ધ કહેવા જતા તેમના પર ચાર પુત્ર-પિતાએ પાઈપ-લાકડીથી હુમલો કરી માર માર્યાે હતો અને ધમકી આપી હતી.

જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા ધરારનગર-રમાં વસવાટ કરતા રામભાઈ કારાભાઈ લાબરીયા નામના યુવાનના ઘર પાસે તેમના પાડોશી શકુર દાનાભાઈ દેવીપુજક તથા તેમના પરિવારજનો અવારનવાર ગંદકી કરતા હોય અને મોડીરાત્રિ સુધી દેકારો કરતા હોવાથી કારાભાઈ લાબરીયા ગઈકાલે કહેવા ગયા હતા.

આ વેળાએ ઉશ્કેરાયેલા શકુર કાનાભાઈ, વિજય શકુરભાઈ, ભગલા શકુરભાઈ, મોમીયા શકુરભાઈ દેવીપુજકે ગાળો ભાંડી ધોકા, પાઈપથી હુમલો કરી કારાભાઈને માર માર્યાે હતો અને પોલીસ ફરિયાદ કરીશ તો પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. કારાભાઈના પુત્ર રામભાઈ લાબરીયાએ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh