Advertisement
Author: નોબત સમાચાર

ધમકી આપી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આરોપીનો અદાલત દ્વારા કરાયો છૂટકારો

ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર તાલુકાના સિક્કા ગામના એક શખ્સ સામે લગ્નની લાલચ આપી, છરી બતાવી વારંવાર દુષ્કર્મ ગુજારવા અંગે કેટલાક વખત પહેલા પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર નજીકના સિક્કામાં નોકરી કરતા ચિંતન પ્રેમજીભાઈ ગોહિલ નામના શખ્સે એક યુવતી સાથે લગ્ન કરવાની વાત કરી મૈત્રીકરાર કર્યા પછી આ યુવતીને છરી બતાવી, તેણીના ભાઈને પતાવી દેવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ શખ્સ સામે આઈપીસી ૩૭૬ (ર) (એન) તથા ૫૦૬ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

ઉપરોક્ત કેસ જામનગરની કોર્ટમાં ચાલી જતા અદાલતમાં ફરિયાદ પક્ષે પાંચ મોખીક અને ર૧ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેની સામે આરોપી પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી સામેનો કેસ સાબિત થઈ શક્યો નથી તેમ ઠરાવી આરોપી ચિંતન ગોહિલનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh